ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

સ્વતંત્રતા સંગ્રામમાં ખાદીનું જે ગૌરવ હતું, એ જ ગૌરવ આજે પણ યુવા પેઢી ખાદીને આપી રહી છે રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી તેમનું ધ્યાન નદીઓના મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર હતું. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીનું જે ગૌરવ હતું તે જ ગૌરવ આજે યુવા પેઢી ખાદીને આપી રહી છે.સાથે એમ પણ કહ્યું કે મારી ભેટોની હરાજીમાંથી મળનારા રૂપિયા નમામી ગંગા મિશનને આપવામાં આવશે.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

વડાપ્રધાને મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું હતું કે આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે સંતોને કહી શકીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ગૌરવ ખાદીનું હતું, તે જ ગૌરવ આજના યુવાનો ખાદીને આપી રહ્યા છે. દિલ્હીના ખાદી શો રૂમમાં એક કરોડ રૂપિયાથી વધુનો ધંધો થયો હતો, આવા ઘણા દિવસો હતા. 2 જી ઓક્ટોબર બાપુની જન્મજયંતિએ નવો રેકોર્ડ બનાવો. જ્યાં પણ ખાદી, હાથવણાટ અને હસ્તકલા વેચાય છે, દિવાળી આવી રહી છે, તમારી દરેક ખરીદી વોકલ ફોર લોકલને મજબૂત બનાવશે અને જૂના રેકોર્ડ તોડશે.

નાની નાની બાબતોથી મોટા ફેરફારો આવે છે. જો તમે મહાત્મા ગાંધીના જીવન પર નજર નાખો તો તમને ખ્યાલ આવશે કે તેમના જીવનમાં નાની-નાની વાતો દ્વારા તેમણે મોટા સંકલ્પો કેવી રીતે સાકાર કર્યા. સ્વચ્છતાના આંદોલને આઝાદીની ચળવળને ઉર્જા આપી હતી. ગાંધીજીએ જ સ્વચ્છતાને જન આંદોલન બનાવવાનું કામ કર્યું હતું. સ્વચ્છતાને સ્વતંત્રતાના સ્વપ્ન સાથે જોડી દીધું હતું. આટલા દાયકાઓ પછી સ્વચ્છતા આંદોલને દેશને નવા સપના જોવાની તક આપી છે.

 

One thought on “ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version