પંકજ વાઘેલા ને ન્યાય આપો... તેની દીકરી ના જાન માલ નુ રક્ષણ કરો.પંકજ વાઘેલા ને ન્યાય આપો... તેની દીકરી ના જાન માલ નુ રક્ષણ કરો.

પોલીશ કોંસ્ટેબલ પંકજ વાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?

ગત તા : ૧૩/૧૦/૨૦૨૧ ના રાત્રી ના ૧૨:૦૦ થી ૧૨:૩૦ ના આજુબાજુ ધ્રાંગધ્રા પોલીશ સ્ટેશન મા પોલીશ કોંસ્ટેબલ તરીકે ફરજ બજાવતા. પંકજભાઇ બી વાઘેલા નુ શાહરુખ નામના એક કરોડપતી યુવકે ૧૨૦ ની સ્પીડે પજેરો કાર અથડાવી મોત નીપજાવેલ, જેને પોલીશ કલમ ૩૦૪ મુજબ નો કેશ ગણી. કાર્યવાહી કરી રહી છે. અને આજે ચાર ચાર મહીના થવા છતા પોલીશ કોંસ્ટેબલ પંકજ ભાઇ બી વાઘેલા નુ અકસ્માત મા મોત નીપજાવનાર આરોપી કરોડપતી ડ્રાઇવર શાહરુખ પોલીશ ની ધરપકડ થી દુર છે. જે ધરપકડ ન થવાની પાછળ કશુક રંધાઇ રહ્યુ હોવાની ગંધ આવી રહી છે.

પંકજ વાઘેલા ને ન્યાય આપો... તેની દીકરી ના જાન માલ નુ રક્ષણ કરો.
પંકજ વાઘેલા ને ન્યાય આપો…

નીશ્ક્રીય પોલીશ શંકાના ઘેરા મા …..

લોકોના કહેવા મુજબ તથાકથીત લોક ચર્ચામા હવે આ બનાવ ની ચર્ચા થઇ રહી કે આ અક્સ્માત ના ઘટનાક્રમ મા પોલીશ ની કામગીરી હવે શંકા ના ઘેરાવમા છે. શુ આરોપી પકડાઇ જવાથી.?  જો આ ઘટના સુનીયોજીત કાવતરા ના ભાગ રુપે કરાવવામા આવેલ અકસ્માત હોય તો. આરોપી પકડાઇ જવાથી તેનુ રહશ્ય બહાર આવી જાય તેવી સમ્ભાવના રહેલી હોય તેમ જણાય છે. અને એટલા માટે જ પોલીશ કોઇ અગમ્ય કારણ સર આરોપી ની ધરપકડ કરતી નથી તેવી લોકચર્ચા થાય છે.

આ પણ વાચો – ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

ખુદ પોલીશ જવાન નુ અકસ્માતે મોત નીપજાવનાર આરોપી ચાર ચાર મહીનાથી પોલીશ ની પકડ થી દુર….

અકસ્માત થયાને ચાર મહીના થી પણ વધારે સમય થવા છતા અકસ્માત કરનાર આરોપી ને પોલીશે પકડ્યો નથીએ બાબત શંકા ઉપજાવે તેવી છે. અને લોકચર્ચા મા આ અકસ્માત બાબતે ચર્ચાઓ મા સમ્ભળાય છે કે પોલીશ આ કેશ મા કઇક તો એવુ છે કે જે છુપાવી રહી છે. અને આરોપી ને છાવરી રહી છે. લોકો કહે છે કે જો ખુદ પોલીશ ના આવા ગમ્ભીર કેશ મા પણ પોલીશ આરોપી ને પકડતી ના હોય તો સામાન્ય માણશે તો પોલીશ કાર્યવાહી કરશે એવો પોલીશ ઉપર વીશ્વાસ કરવાનો જ નહી. આઘટના મા  ચાર મહીના થવા છતા આરોપી ના પકડાતા પ્રજા નો પોલીશ ઉપર નો ભરોશો ઓછો થઇ રહ્યો છે.એવુ લોકચર્ચા દ્વારા  જણાય છે….

આ કેશ મા ચોકાવનારા તથ્યો સામે આવશે તેવી લોકચર્ચા થઇ રહી છે.

અમો ફ્રીડમ જર્નાલીજમ વેબ ન્યુજ દ્વારા આ બનાવ ઉપર ચામ્પતી નજર રાખી રહ્યા છીએ. આવનારા સમયમા અમો  ફ્રીડમ જર્નાલીજમ દ્વારા ચોકાવનારા તથ્યો સાથે પર્દાફાશ કરવામા આવશે…

3 thoughts on “પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *