મુખ્યમંત્રી શ્રી ના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી.

મુખ્યમંત્રી શ્રી ના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના ૨૨મા સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ.

સુરેન્દ્રનગર નગરપાલિકાના રૂ. ૯૯૯.૭૭ લાખના રિવરફ્રન્ટ એક્સ્ટેન્શનના કામનું ખાતમુહૂર્ત.

મુખ્યમંત્રીશ્રી ભગવાન વડવાળા દેવના દર્શન કરી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે/

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને રાજ્યમંત્રીશ્રી

જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી ના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૭૩મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી આવતીકાલે સુરેન્દ્રનગર

ખાતે યોજાશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રી દુધરેજ કેનાલ સાઈટ પર રાજ્યના ૨૨મા અને સુરેન્દ્રનગર જિલ્લાના દ્વિતીય

સાંસ્કૃતિક વન – વટેશ્વર વનનું લોકાર્પણ કરશે.

આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો પર વાહનોને ડાયવર્ઝન અંગે જાહેરનામું.

આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ

મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ  જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના

યુડીપી-૮૮ અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૯૯૯.૭૭ લાખના આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ

તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. આ  કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ

પટેલ દુધરેજ ખાતે ભગવાન વડવાળા દેવના દર્શન કરી ‘તિરંગા યાત્રા’ને ફ્લેગ  ઓફ આપી પ્રસ્થાન કરાવશે.

આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો પર વાહનોને ડાયવર્ઝન અંગે જાહેરનામું.

કેન્દ્રીય આયુષ અને મહિલા બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા રહેશે ઉપસ્થીત.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ અને મહિલા બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ કેબિનેટ

મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ

પટેલ અને ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા ઉપસ્થિત રહેશે.

૧૮ વર્ષમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી અને

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૦૪થી વન મહોત્સવ દરમિયાન

સાંસ્કૃતિક વનોની સ્થાપનાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ૧૮ વર્ષમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં

આવ્યું છે. ચાલુ વર્ષે ૨૨મા સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ ૭૩મા

વન મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

જાહેર જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ.

ગુજરાત રાજ્ય વન વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૭૩મા વન મહોત્સવ કાર્યક્રમમાં જાહેર જનતાને

ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *