ધ્રાંગધ્રા ખાતે  નવનિર્મિત પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..

ધ્રાંગધ્રા ખાતે નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવનિર્મિત વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક ઉદબોધન કરતા નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇ…..

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટી છતાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગોતરા આયોજનના લીધે રાજ્યમાં નિયમિત અને સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં માથાદીઠ વીજવપરાશ ૧૧૦૦ યુનિટ છે, જ્યારે ગુજરાતમાં આ માથાદીઠ વીજ વપરાશ ૨૧૦૦ યુનિટ છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ધ્રાંગધ્રામાં નવનિર્મિત વિભાગીય કચેરીથી આ વિસ્તારના વીજ ગ્રાહકોને સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા..

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ગામડાઓના અંતરિયાળ વિસ્તાર સુધી નિયમિત વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.વધુમાં તેમણે ઉમેર્યું કે, ધ્રાંગધ્રા વિસ્તારમાં નવીન વિભાગીય કચેરીના નિર્માણ થવાથી પ્રજાલક્ષી કામોમાં વેગ આવશે અને લોકોને વીજળીને લગતી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે.

પુર્વ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા નુ પ્રાસંગીક ઉદબોધન…

આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા જણાવ્યું હતું કે, વીજળી ક્ષેત્રે અનેક લાભો આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સુધી સુલભતાથી પહોંચ્યા છે. વીજળીકરણની વ્યવસ્થાઓના કારણે કૃષિ અને વીજક્ષેત્રે સૌરાષ્ટ્ર વધુ સમૃદ્ધ બન્યું છે.

આ તકે ધારાસભ્યશ્રી  પરસોત્તમભાઈ સાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે સ્વાગત પ્રવચન કર્યુ હતું અને સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી વી. જી. મારકણા એ આભારવિધિ કરી હતી
આ પ્રસંગે અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી જયપ્રકાશ શિવહરે, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીગ્નેશભાઈ, અગ્રણીઓ સર્વશ્રી ગાયત્રીબા, હસમુખભાઈ અને દર્શનાબેન તેમજ પી.જી.વી.સી.એલના અધિકારી/ કર્મચારીશ્રીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર….

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *