એક ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. કન્હૈયા કુમારે તાજેતરમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એ પછી રાજકીય મોરચે તેમના કોંગ્રેસમાં જોડાવા અંગે અટકળો શરૂ થઈ હતી. એ પહેલા કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીએ પણ ચૂંટણીની રણનીતિ ઘડવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.
એવુ કહેવાય છે કે, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની હવે કોઈ અસર નથી રહી. યુવાઓને તક આપવાની જરૂર છે અને આ માટે કન્હૈયા કુમાર અ્ને જિગ્નેશ મેવાણીને પાર્ટીમાં સામેલ કરવા જોઈએ. પ્રશાંત કિશોરનુ માનવુ છે કે, કન્હૈયા કુમારનો ભાષણ કરવાનો અંદાજ મતદારોને પંસદ આવી શકે છે.