ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગેગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

દ્વારા જાહેરનામું બહાર પડાયું.

ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો પર મનાઇ ફરમાવવામાં આવીજાહેરનામું

૯ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં

આવી છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન  સમય દરમિયાન

ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. બાદમાં ગણેશજીની સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ

કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમાં

અમુક ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યાના ત્રીજા દિવસે,

પાંચમા દિવસે, સાતમા દિવસે અને મોટાભાગના ભાવિકો દ્વારા તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ મૂર્તિઓના

વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવનાર છે.

https://youtu.be/TO_l7MV9OdY

કેજરીવાલ નો સંવાદ સરપંચો સાથે જુઓ ઉપરના વીડીઓમા.

પ્રદૂષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે કલમ-૧૪૪

મુજબ જાહેરનામું પ્રસિદ્ધ .

આ મહોત્સવને અનુલક્ષીને મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. દરમિયાન મૂર્તિ

સ્થાપના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહીં તેમજ કોઈપણ ધર્મની ધાર્મિક લાગણી દુભાય

નહીં તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મૂર્તિઓની ઊંચાઈ બાબતે સેન્ટ્રલ પોલ્યુશન

બોર્ડની ગાઇડલાઇન્સ મુજબ મળતી પ્રતિમાની ઊંચાઈ નક્કી કરવા તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા

બાબતે ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ થયો હોય આવી મૂર્તિઓને નદીઓ

તળાવો પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલીઓ તેમજ મનુષ્યને પણ

નુકસાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા

આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવો અને નામ.

સુપ્રીમ કોર્ટ દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ મહોત્સવ નિમિત્તે

મુર્તિના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી, જળ સ્ત્રોતમાં થતુ પ્રદૂષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ

શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ફોજદારી કાર્ય સંહિતાની કલમ-૧૪૪ મુજબ જાહેરનામું

પ્રસિદ્ધ કરવું જરૂરી જણાતા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દર્શના ભગલાણી દ્વારા જાહેરનામું બહાર

પાડી સુરેન્દ્રનગરની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ

ફરમાવવામાં આવ્યો છે.

ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.

જાણો કયા ક્યા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિઓ નક્કી કરેલ વિસર્જન સ્થળો અને લીધેલ મંજૂરીમાં દર્શાવેલ સ્થળ સિવાય

અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, સ્થાપના

સ્થળની જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા ઉપર, શ્રી ગણેશજીની

મૂર્તિઓના સ્થાપના બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડિત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદમાં

  બિનવારસી મૂકવા ઉપર, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ

બનાવવા/ખરીદવા/વેચવા/સ્થાપના કરવા ઉપર, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો

એક દિવસ કરતાં વધુ દિવસ રાખવા ઉપર, મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા

ઉપર, સ્થાપના બાદ વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના

વિસર્જન સરઘસ યોજવા વગેરે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા કુત્રિમ તળાવો તથા કુવા બનાવવા વગેરે…

ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા કુત્રિમ તળાવો તથા કુવા બનાવવા યોગ્ય કાર્યવાહી કરવી

અને મૂર્તિઓનો વિસર્જન કુત્રિમ તળાવ તથા કુત્રિમ કુવાઓમાં કરવાનું રહેશે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની

ગાઈડલાઈન મુજબ મૂર્તિની ઊંચાઈ રાખવાની રહેશે.

કેજરીવાલ નો સંવાદ સરપંચો સાથે જુઓ ઉપરના વીડીઓમા.

કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરેલ મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે જ જપ્ત કરવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરીને કોઈ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પીઓપી,

ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટે, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ

કરેલ મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે જ જપ્ત કરવામાં આવશે.

 આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર  કલમ-૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું તા.૦૯/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. 

 

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version