ઉના કાંડ પછી જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર....ઉના કાંડ પછી જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર....

ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જીગનેમેવાણીની ધરપકડ ….

વડગામના ધારાસભ્ય મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ગઇકાલે ૧૧.૩૦  કલાકે આસામ પોલીસે એક ટ્વીટના કેસમાં ધરપકડ કરી હતી. જિગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઇને હાર્દિક પટેલે વિરોધ કર્યો છે.

ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જિગ્નેશમેવાણીની ધરપકડ પર હાર્દિક પટેલ....
ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જિગ્નેશમેવાણીની ધરપકડ પર હાર્દિક પટેલ….

ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી…

હાર્દિક પટેલે કહ્યુ કે- ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મોદીજી તમે રાજ્યના તંત્રનો દુરઉપયોગ કરીને અસંમત્તિને કચડી નાખવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમે સત્યને ક્યારેય કેદ કરી શકતા નથી.

સમર્થકોનો આરોપ છે કે આસામ પોલીસ તરફથી જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ દર્જ ફરિયાદની કોપી આપવામાં આવી નથી…

મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી એ બાબતે જિગ્નેશ મેવાણીના સમર્થકો અનુસાર, આસામ પોલીસની ટીમે અહી દાખલ કેસનો હવાલો આપતા ધરપકડની કાર્યવાહીને અંજામ આપ્યો છે. સમર્થકોનો આરોપ છે કે આસામ પોલીસ તરફથી જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ દર્જ ફરિયાદની કોપી આપવામાં આવી નથી.

મે ટ્વીટમાં લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી.જિગ્નેશ મેવાણી …

મીડિયાએ ધરપકડ દરમિયાન જ્યારે જિગ્નેશ મેવાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યુ, મને એમ કહેવામાં આવ્યુ છે કે તમે એક ટ્વીટ કરી હતી, તેને લઇને ફરિયાદ થઇ છે. ફરિયાદમાં કઇ કલમ લાગી છે, આ કહેવામાં નથી આવ્યુ, મે ટ્વીટમાં લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી.

જિગ્નેશ મેવાણીના એક ટ્વીટ પર આસામ પોલીસે બિનજામીન પાત્ર કલમ મા કેશ દાખલ કર્યો….

જિગ્નેશ મેવાણીના એક ટ્વીટ પર આસામ પોલીસે તેમની પર ષડયંત્ર હેઠળ બે સમુદાયમાં વૈમનસ્ય ઉભુ કરવા, સમુદાયનું અપમાન કરવા અને શાંતિનો માહોલ બગાડવા જેવી બિનજામીન પાત્ર કલમમાં કેસ દાખલ કર્યો છે. આસામ પોલીસની ફરિયાદ અુસાર, જિગ્નેશ મેવાણીએ ૧૮ એપ્રિલે એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન ગોડસેને પૂજે છે. પોલીસ અનુસાર જિગ્નેશ મેવાણીએ ટ્વીટમાં અપીલ કરી હતી કે દેશના વડાપ્રધાને ૨૦ એપ્રિલે ગુજરાત પ્રવાસ દરમિયાન રામનવમી પર હિંમતનગર અને ખંભાત વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને લઇને લોકોને શાંતિની અપીલ કરવી જોઇએ.

2 thoughts on “ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જિગ્નેશમેવાણીની ધરપકડ ……”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *