મોંઘવારી ના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન.

રાહુલ  ગાંધી  બાદ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત, વડાપ્રધાન ના નિવાસસ્થાને જતા 

અટકાવતા રસ્તા પર ધરણા પર બેસી ગયા.

સોનિયા ગાંધી અને રાહુલ  ગાંધી  કાળાં કપડાં પહેરીને સંસદ પહોંચ્યાં હતા.

રાહુલે કહ્યું- દેશની જનતા મોંઘવારીના ભાર હેઠળ પિસાઈ રહી છે એ સરકારને દેખાતું નથી.

ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે એકત્ર થયેલા કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિ સામે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ શુક્રવારે રોડ થી સંસદ સુધી

વિરોધપ્રદર્શન કરી રહી છે.  ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના પ્રદર્શનને જોતાં અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા

ગોઠવવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરે જવાનોને તહેનાત કર્યા છે. અંદર કોઈપણ કાર્યકરને જવા દેવામાં આવતા

નથી. આ દરમિયાન કેન્દ્રનો વિરોધ કરવા સોનિયાગાંધી , રાહુલ  ગાંધી  સહિત  ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના તમામ

સાંસદો ગૃહમાં કાળાં કપડાં પહેરીને પહોંચ્યા હતા.

રાહુલ  ગાંધી  ગાંધીની અટકાયત.

ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના વિરોધ વચ્ચે સમાચાર છે કે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના સાંસદ રાહુલ  ગાંધી  ગાંધીની

અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના

સાંસદોને પોલીસે અટકાવી દીધા છે.

રાહુલ  ગાંધી  બાદ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત.

ત્યારપછી, પાર્ટી હેડક્વાર્ટરમાં હાજર પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો અને તેઓ તેમના સાંસદો સાથે પીએમ

આવાસનો  ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ અહીં પણ પોલીસે તેમને અટકાવ્યા હતા. પરિણામે તેઓ રસ્તા

પર જ ધરણા પર બેસી ગયા  હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. આ દરમિયાન અજય માકન, સચિન પાયલટ,

હરીશ રાવત, અભિનાશ પાંડે સહિત ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના તમામ મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

મોંઘવારી અને બેરોજગારી સામે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસની માર્ચ, રાહુલ  ગાંધી પણ જોડાયા.

ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ

ભવન સુધી માર્ચ  કરી હતી. આ પદયાત્રામાં ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના સાંસદ રાહુલ  ગાંધી  ગાંધી પણ જોડાયા હતા.

ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે આ દેશમાં અમે લોકો પરના હુમલા સામે લડી

રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા  રહીશું. બેરોજગારી અને મોંઘવારી અમારા મુદ્દા છે.

રાહુલ ગાંધીએ કહ્યું- આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર સરમુખત્યારશાહી.

મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં

વિરોધપ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાહુલ  ગાંધી  ગાંધીએ દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું હતું કે આજે

દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે.

જે કોઇ મોદી સરકાર નો  વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે.

રાહુલ  ગાંધી  ગાંધીએ વધુમાં કહ્યું હતું કે આજે ભારતમાં લોકશાહી નથી. લોકશાહી મરી ગઈ છે. આજે ચાર લોકોની

સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે એના પર બોલવા માગીએ છીએ. અમને

સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની

આ હાલત છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો, સૌથી વધુ બેરાજગારી ભારતમાં.

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો

કરવામાં આવી રહ્યો છે, પણ નાણામંત્રીને આ દેખાઈ રહ્યું નથી?. તમે દેશના કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને

પૂછશો તો તે લોકો જણાવશે કે આજે મોંઘવારીમાં પિસાઈ રહ્યા છીએ, પણ સરકારને આ બધું દેખાતું નથી.

રાહુલ  ગાંધી ની પ્રેસ-કોન્ફરન્સની મોટી વાતો.

દરેક સંસ્થામાં RSS નો માણસ.

દેશમાં દરેક સંસ્થામાં આરએસએસનો માણસ બેઠો છે. તે સરકારના નિયંત્રણમાં છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન્યૂટલ હતું. અમે એમાં દખલગીરી કરી નથી. આજે એ સરકાર પાસે છે. જો કોઈ વિરોધ કરે છે, તો કેન્દ્રીય

તપાસ એજન્સીઓ તેની સામે મૂકવામાં આવે છે.

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

આઠ વર્ષમાં લોકશાહી બરબાદ.

લોકશાહીના મૃત્યુ વિશે તમને કેવું લાગે છે ? જે લોકશાહીને બનતાં ૭૦  વર્ષ લાગ્યા એને આઠ વર્ષમાં જ

ખતમ કરી દેવામાં આવી છે.

જેટલું સાચું બોલીશ એટલો હુમલો.

મારી સમસ્યા એ છે કે હું સાચું બોલીશ, મોંઘવારી, બેરોજગારીના મુદ્દા ઉઠાવવાનું કામ કરીશ. જે ડરે છે તેને ધમકાવે છે.

આજે દેશની જે સ્થિતિ છે એનાથી તેઓ ડરે છે, મોંઘવારી અને બેરોજગારીથી ડરે છે. તેઓ લોકોની શક્તિથી ડરે છે,

કારણ કે તેઓ ૨૪  કલાક ફક્ત ખોટું બોલે છે.

રાહુલ  ગાંધી  ગાંધીએ કહ્યું- હું જેટલું સાચું બોલીશ એટલું જ આક્રમણ વઘશે.

ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે હું જેટલું સાચું બોલીશ, મારા પર એટલું જ આક્રમણ વધુ થશે, પણ હું મારું

કામ કરતો કરીશ, મોંઘવારી  વિશે વાત કરીશ. હું બેરોજગારી વિશે વાત કરીશ. હું જેટલું આ બધાની વિરુદ્ધમાં બોલીશ

એટલા જ મારા પર હુમલા વધશે. એ ફક્ત અમારી સાથે જ નહીં, દરેકની સાથે થશે. જે કોઈપણ સરકાર વિરુદ્ધ બોલે છે

તેને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ડરાવવામાં આવે છે. લોકો હજુ આ વાત નથી સમજતા,  પરંતુ એક દિવસ તેઓ જરૂર સમજી જશે.

મોંઘવારી, GST અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે વિરોધપ્રદર્શન.

મોંઘવારી, GST અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધપ્રદર્શન કરી રહી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ  ગાંધી  ગાંધી સહિત તમામ મોટા નેતાઓ રસ્તા પર

ઊતર્યા હતા. પાર્ટીએ બે સ્તરે રણનીતિ તૈયાર કરી છે. ગુરુવારે મોડી રાત્રે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ મુખ્યાલયની બહાર મોટી

સંખ્યામાં સુરક્ષા દળોના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.

વિરોધને જોતા જંતર-મંતર વિસ્તારમાં કલમ ૧૪૪  લાગુ કરવામાં આવી.

વિરોધને જોતા જંતર-મંતર વિસ્તારમાં કલમ ૧૪૪  લાગુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને

ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકાર

અમને મોંઘવારી સામે વિરોધ કરતા રોકવા માગે છે, તેથી તે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના નેતાઓને સતત પરેશાન કરી રહી છે.

કોંગ્રેશ ના સાંસદોએ રાષ્ટ્રપતિ ભવન તરફ કુચ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે બે સ્તરે પ્રદર્શન માટે રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીના તમામ સાંસદો વિજય ચોક થઈને

રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી હતી, જ્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસ મુખ્યાલયથી પીએમ

હાઉસનો ઘેરાવ કરશે.

રાહુલે કહ્યું- મોદી અને BJP થી ડરીશું નહીં.

ગુરુવારે ગૃહમાં પત્રકારોના પ્રશ્નના જવાબમાં ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ  ગાંધી  ગાંધીએ કહ્યું હતું કે ભારતીય

રાસ્ટ્રીય કોંગ્રેસ લોકોના મુદ્દા ઉઠાવશે અને અમે લોકો કોઈનાથી ડરવાના નથી. તેમણે કહ્યું- હું મોદીથી બિલકુલ ડરતો નથી.

 

 

 

2 thoughts on “મોંઘવારી ના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *