સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત એ- ડિવિઝન પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…

રૂપિયા ૨.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું….

સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ અને ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રીપરસોત્તમભાઈ સાબરીયાની ઉપસ્થિતિમાં રૂપિયા ૨.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત નેક્ષ્ટ જનરેશન સેમીઅર્બન સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ…

આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરમાં સુવિધાયુક્ત નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થવાથી પોલીસ વિભાગને વધુ સારી સવલતો મળશે. સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું..ગુજરાત પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સતત કાર્યરત છે. ૨૪ કલાક સતત લોકોની સેવા કરીને પોલીસ વિભાગ ઉમદા કામગીરી કરી રહ્યો છે.  વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘણો ઓછો છે. આજે ગુજરાતમાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટયું છે.

ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા નુ પ્રાસંગીક ઉદબોધન..

આ પ્રસંગે ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયાએ કોરોનાકાળમાં પોલીસ વિભાગે લોકોની સેવા કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ જણાવી પોલીસ વિભાગની કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા સરકારી વકીલશ્રી એમ.પી. સભાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ખેડા- નડિયાદ ખાતેથી ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાતે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.ડી. ચૌધરીએ આભારવિધિ કરી હતી.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગડ, ધનરાજભાઇ કૈલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દુધરેજ વડવાળા મંદિરના કોઠારીશ્રી મુકુંદ રામ બાપુ અને સંતો તેમજ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ઝાલા, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી શિવમ વર્મા અને નાયબ પોલીસ અધીક્ષકશ્રી એચ.પી.દોશી સહિત શહેરના શ્રેષ્ઠીજનો ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *