જિગ્નેશ મેવાણી ને ૨૪ કલાકમાં છોડવા ચાણસ્મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ચીમકી….
વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ગત રોજ આસામ પોલીસે ધરપકડ કરી છે. જે બાબતે ચાણસ્મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં તમામ હોદ્દેદારો, સામાજિક કાર્યકર્તા ઓ દ્વારા ગુરુવારે ચાણસ્મા મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ચાણસ્મા તાલુકા ના આગેવાન નરેશ પરમારે જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણી દ્વારા વડાપ્રધાન ને જે શાંતિની અપીલ ની ટ્વીટ કરવામા આવી કે જ્યાં જ્યાં કોમી તોફાન થાય છે. ત્યાં જઈને પ્રધાનમંત્રી શાંતિની અપીલ કરે તો અપીલ કરવી કહેવાનું શુ એ ગુનો છે? જો અપીલ કરવી કહેવા નું પણ ગુનો બનતો હોય તો એ લોકશાહી માટે ખતરનાક નિશાની છે તેવું કહી શકાય. નરેશ પરમારે વધુ માં જણાવ્યું કે, જો જીગ્નેશભાઈ મેવાણીને આસામ હાજર કર્યા પછીના ચોવીસ કલાકમાં છોડવામાં નઈ આવે તો રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમનાં સમથૅનમાં રેલી, ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
અપીલ કરવી કહેવાનું શુ એ ગુનો છે ?
દલિત અધિકાર મંચ ના ચાણસ્મા તાલુકા ના આગેવાન નરેશ પરમારે જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણી દ્વારા વડાપ્રધાન ને જે શાંતિની અપીલ ની ટ્વીટ કરવામા આવી કે જ્યાં જ્યાં કોમી તોફાન થાય છે. ત્યાં જઈને પ્રધાનમંત્રી શાંતિની અપીલ કરે તો અપીલ કરવી કહેવાનું શુ એ ગુનો છે? જો અપીલ કરવી કહેવા નું પણ ગુનો બનતો હોય તો એ લોકશાહી માટે ખતરનાક નિશાની છે તેવું કહી શકાય.
ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જિગ્નેશમેવાણીની ધરપકડ ……
રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમનાં સમથૅનમાં રેલી, ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન ની ચીમકી….
રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના ચાણસ્મા તાલુકા ના આગેવાન નરેશ પરમારે વધુ માં જણાવ્યું કે, જો જીગ્નેશભાઈ મેવાણીને આસામ હાજર કર્યા પછીના ચોવીસ કલાકમાં છોડવામાં નઈ આવે તો રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમનાં સમથૅનમાં રેલી, ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
[…] […]