સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
૨૯૭ જગ્યાઓ માટે રોજગારીની ઊત્તમ તકો.
પાટડી ના હિંમતપુરા ગામે ઘેટામાં જોવા મળ્યો શીપપોક્ષ રોગ.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે તા.૧૨ એ
મહિલા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવું.
સુરેન્દ્રનગરમાં એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે
મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે તા.૧૨/૦૯/૨૦૨૨ ના રોજ ૨૯૭ જગ્યાઓ માટે
રોજગારીની ઊત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ
એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
૮ પાસ થી ડિપ્લોમ,બીએ,બ.કોમ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તક.
જેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ ૮,૯,૧૦,૧૨ પાસ તથા ડિગ્રી મિકે.,
ડિપ્લોમા મિકે., બી.એસસી., બી.કોમ., બી.એ. અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ
શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે તા.૧૨ મી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે મહિલા
આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ના સૌજન્યથી…