NFSA સંદર્ભે વઢવાણ જનતા જોગ..
પાત્રતા ન ધરાવતા NFSA કાર્ડધારકોને સ્વેચ્છાએ નામ કમી કરવા જણાવાયું…
રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ ની જનતા જોગ…
વઢવાણ મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે અને નીચે જણાવેલ પૈકી કોઇ પણ એક અથવા વધારે બાબત ધરાવનાર NFSA યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાવાળુ વાહન ધરાવતું હોય, કુટુંબનો કોઇ પણ સભ્ય સરકારી કર્મચારી હોય કે માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય કે આવકવેરો (ઇન્કમટેક્ષ), વ્યવસાયવેરો ચુકવતો હોય, કે જે કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતો હોય, જે કુટુંબમાં કોઇપણ સભ્ય સરકારી પેન્શનર હોય, કુટુંબ આર્થિક સુખાકારી ધરાવતું હોય કે શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાક્કુ મકાન ધરાવતું હોય તો આવા કુંટુબ એનએફએસએ યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા નથી. આવા કાર્ડધારકોએ તા. ૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનુ રેશનકાર્ડ આ યોજનામાંથી કમી કરવા માટે મામલતદાર કચેરી વઢવાણ શહેર, પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ જોડી રૂબરૂ અરજી રજૂ કરવાની રહેશે.
પ્રિ-મોન્સુન કામગીરી અંગે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ…..
નીચે જણાવેલ પૈકી કોઇ પણ એક અથવા વધારે બાબત ધરાવનાર ને NFSA યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાવાળુ વાહન ધરાવતું હોય.
કુટુંબનો કોઇ પણ સભ્ય સરકારી કર્મચારી હોય કે માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય કે આવકવેરો (ઇન્કમટેક્ષ), વ્યવસાયવેરો ચુકવતો હોય.
જે કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતો હોય.
જે કુટુંબમાં કોઇપણ સભ્ય સરકારી પેન્શનર હોય, કુટુંબ આર્થિક સુખાકારી ધરાવતું હોય કે શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાક્કુ મકાન ધરાવતું હોય.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ના સૌજન્ય થી…
[…] રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ … […]
[…] રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ … […]
[…] રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ … […]