રાહુલ ગાંધી પર 20 થી વધારે કેસ
કોંગ્રેશ પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી વેણુગોપાલ અનુસાર,
રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટી તરફથી કેસ કરવો એ કોઈ
નવી વાત નથી. 2014થી અત્યાર સુધી રાહુલ ગાંધી પર 20થી વઘારે કેસ
નોંધાયા છે. વર્ષ 2019માં રાહુલ ગાંધી પર સૌથી વધારે 5 કેસ નોંધવામાં આવ્યા
હતાં. 2024માં 4 અને 2021માં રાહુલ ગાંધીની સામે 3 કેસ કરવામાં આવ્યા હતાં.
ડેરી નો પુલ તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૪/૦૧/૨૦૨૫ સુધી તમામ વાહનો માટે બંધ.
2014થી 2024 સુધી રાહુલ ગાંધી સામે 20થી વધુ કેસ.
બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી બાદ સંસદ પરિસરમાં હોબાળાને લઈને
લીડર ઓફ અપોજીસન રાહુલ ગાંધી સામે કેસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી પર ભારતીય
જનતા પાર્ટી ના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ધક્કા-મુક્કીનો આરોપ છે. રાહુલ
પર કેસ નોંધાયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરી
રહી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી વેણુગોપાલ અનુસાર, આ કેસ મુદ્દા પરથી લોકોને
ભટકાવવાનો પ્રયાસ છે.
સુપ્રીમ ચુકાદો રાહુલ ગાંધી ની બે વર્ષની જેલની સજા પર રોક…
રાહુલ ગાંધી પર ક્યારે કેટલાં કેસ?
1 ) વર્ષ 2014માં રાહુલ ગાંધી પર પહેલો કેસ અદાલત માં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના
ભિવંડી સ્થિત જોઇન્ટ સિવિલ જજની અદાલત માં નોંધાયો હતો. રાહુલ પર આ કેસ ગાંધીની હત્યામાં
આરએસએસની ભૂમિકા કહેવાને લઈને કરવામાં આવ્યો હતો. આ કેસ ક્રિમિનલ અને સિવિલ માનહાનિ
સાથે જોડાયેલો છે.
2 ) 2016માં રાહુલ ગાંધી પર આસામની રાજધાની ગુવાહાટીમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ
ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની અદાલત માં નોંધાયો હતો. રાહુલ પર કેસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ટિપ્પણીને
લઈને કરવામાં આવ્યો હતો રાહુલે ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા એક મામલામાં સંઘ પર ટિપ્પણી કરી હતી.
3 ) વર્ષ 2018માં રાહુલ ગાંધી પર 3 કેસ નોંધાયા છે. પહેલો કેસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને બીજો કેસ
સુલ્તાનપુરમાં નોંધાયો હતો. ત્રીજો કેસ ઝારખંડમાં રાંચીમાં નોંધાયો હતો. રાહુલ ગાંધી પર બંને કેસ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પર વિવાદિત ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો.
આ કેસ પણ માનહાનિ સાથે જોડાયેલો હતો.
4 ) 2019માં રાહુલ ગાંધી પર સૌથી મોટા 5 કેસ નોંધાયા હતાં. આ કેસ દેશના અલગ-અલગ ભાગમાં નોંધાયા હતાં.
મામલો મોદી અટક સાથે જોડાયેલો હતો. રાહુલે એક રેલીમાં સવાલ કરતા કહ્યું હતું કે, બધાં ચોર મોદી જ કેમ હોય છે ?
રાહુલ ગાંધી પર મોદી અટકના મામલે સુરત, પટના, રાંચી, અમદાવાદ અને નવી દિલ્હીમાં કેસ કરવામાં આવ્યો હતો. સુરતના
કેસમાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં. જોકે, મામલાની સુનાવણી ચાલી રહી છે. સુરત કેસના કારણે 2023માં રાહુલ
ગાંધીને સભ્ય પદ પણ ગુમાવ્યુ હતું.
5 ) 2021માં રાહુલ ગાંધી પર 3 કેસ નોંધાયા છે. પહેલો કેસ ઝારખંડના ચાઈબાસા, બીજો કેસ દિલ્હી અને ત્રીજો કેસ
મુંબઈમાં નોંધાયો હતો. દિલ્હીવાળો કેસ દુષ્કર્મ પીડિતાને લઈને કરવામાં આવેલા દાવાના કારણે કરવામાં આવ્યો હતો.
તેમાં રાહુલ પર પોક્સોની ધારા પણ લગાવવામાં આવી છે. આ મામલે દિલ્હી ઉપરી અદાલત માં સુનાવણી થઈ રહી છે.
આ એક ગંભીર મામલો છે અને રાહુલ ગાંધી જો તેમાં ગુનેગાર સાબિત થાય છે તો તેમને બે વર્ષ અથવા તેનાથી વધારે
સજા મળી શકે છે. ચાઈબાસા અને મુંબઈનો મામલો માનહાનિ સાથે જોડાયેલો છે. બંને કેસમાં મોદી અને ભારતીય
જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પર રાહુલે ટિપ્પણી કરી હતી.
6 ) 2022માં રાહુલ ગાંધી પર બે કેસ નોંધાયેલા છે. પહેલો કેસ બેંગલુરૂમાં નોંધાયો હતો. આ કેસ કૉપીરાઇટ ઉલ્લંઘન સાથે
જોડાયેલો છે. રાહુલ પર આરોપ છે કે, તેણે મંજૂરી વિના પોતાની યાત્રાનું ટાઇટલ સોન્ગ તૈયાર કરવા માટે કૉપીરાઇટનું
ઉલ્લંઘન કર્યું. રાહુલ પર બીજો મામલો લખનૌમાં નોંધાયો છે. રાહુલ પર આ કેસમાં વીર સાવરકર પર વિવાદિત ટિપ્પણીનો
આરોપ છે.
7 ) 2023માં રાહુલ ગાંધી પર સુરતમાં એક કેસ નોંધોયો હતો. આ કેસ સુરતના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની પાસે નોંધાયો હતો.
રાહુલ પર મોદી સમાજને અપમાનિત કરવાનો આરોપ હતો.
8 ) 2024માં અત્યાર સુધી રાહુલ ગાંધી પર 4 કેસ નોંધાઈ ગયા છે. જાન્યુઆરી 2024માં રાહુલ પર ભારત જોડો યાત્રા દરમિયાન
હિંસા ભડકાવવાના આરોપમાં કેસ નોંધાયો હતો. આ મહિને રાહુલ ગાંધી પર કર્ણાટકના બેંગલોરમાં ભારતીય જનતા પાર્ટી ના
કાર્યકર્તાઓને લઈને વિવાદિત ટિપ્પણીના આરોપમાં કેસ નોંધાયો હતો.
સપ્ટેમ્બર મહિનામાં રાહુલ ગાંધીએ અમેરિકામાં શીખ સંપ્રદાય અને આરક્ષણને લઈને ટિપ્પણી કરી હતી. આ કેસમાં રાજધાની
દિલ્હીમાં રાહુલની વિરૂદ્ધમાં 3 જગ્યાએ કેસ નોંધાયો હતો. હવે રાહુલ પર સંસદમાં મારપીટના આરોપમાં કેસ નોંધાયો છે.
જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.